જો કે વર્ષો પહેલાં કે પછી યુગો પહેલાં
ખબર નૈ...
અનંતે કહ્યું હતું
અને,
આવે છે એ જવા માટે જ આવે છે.
જાય છે એ આવવા માટે જ જાય છે.
"અનંત" આવે તે જાય જાય તે આવે,
તો ફિકર શું જે થવાનુંજ છે તે થાય છે.
"અનંત"
પણ અજ્ઞાનીએ પણ કહ્યું હતું કે,
ખુલ્લી આંખે કલ્પના જેવુ.
બંધ આંખે સપના જેવુ.
"અજ્ઞાની" આ આવવુ ને જવુ,
એ તો માત્ર ઘટના જેવું.
"અજ્ઞાની"
કોઈ છુટે કોઈ છોડે કોઈ બાંધે કોઈ બંધાય...
કોઈ તોડે કોઈ તુટે કોઈ સાંધે કોઈ સંધાય...
"અનંત" ખબર નૈ કોણ ક્યારે અહીં આવે જાય...
મન મળે તો તન મળે...
તન મળે તો જીવન મળે...
મગર જરૂરી એ છે કે કૈ ન મળે તો પણ
સ્પાર્ક એવો થાય કે સંપર્ક ભીતર સધાય...
"અનંત"
આવુ જે રાત્રે અનંત બોલ્યો
ત્યારે...
અનંતની આંખોમાં,,,
No comments:
Post a Comment