Pravin Miyatra તે મોકલવેલ લેખ વાંચ્યો.
'ને મને થયું કે , લાવ હું પણ જરા સંશોધન કરું.
તું તો જાણે જ છે કે હું લખું છું,પણ હું લખતો નથી.
પણ કોણ જાણે કેમ !
આજે મને થયું લાવ હું પણ જરા કલમ સિખે આંગળા અજમાવું .
જોકે મને નથી લાગતું કે મને ફાવે ને વાત જામે ..!
ખૈર ...
ના જામે તો પણ મને ક્યાં કશો ફર્ક પડે છે .
બસ મને મજા આવવી જોઇયે ..:)
અને મને જો મજા આવતી હોય તો મારુ પ્રયાસ કરવામાં શું જાય છે હે .!
આમ ક્યારેક આવું કામ કરતાં મજા આવે છે. ને બસ હું મજા લઉં છું. તું પણ લે..!
પણ હાં ! મારાથી કઈ પણ લખાશે "અનંત" કે અજ્ઞાની તો વચ્ચે આવશે જ .!
એ આવ્યા વિના નહીં જ રહે તો ...
તો પછી કેમ ના હું પ્રથમ જ પ્રેમ થી એ બન્ને ના થોડા વિચાર ના લઉં.
તો અનંત એમ કહેતો કે ...
આમ તો બધુ જ અરસ પરસ હોય છે ...
બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે...
એ નાદાન છે જે માત્ર ભમરાને જ વગોવે છે.
અરે..ભઈ ફૂલોને પણ ભમરામાં રસ હોય છે.
ઈચ્છા આખરે ઈચ્છા જ હોય છે. હોય ફૂલની કે-
ભમરાની . બન્નેમાં એક સરખી જ તડપ હોય છે.
ભમરો ગમેતે ફૂલ પર નહીં ! ગમે ! તેજ ફૂલ પર મંડરાય છે.
એવું નથી કે માત્ર ભમરો જ મંડરાય છે ફૂલની આસપાસ.।
અમસ્તા કઈ ભમરા નથી જ મંડરાતા મનગમતા ફૂલ પર .
ફૂલો પણ પ્રસરાવતા હોય છે , ભીની ભીની માદક સુવાસ.
જેટલી ભમરાને ફૂલોની જરૂરત,ફૂલોને-
પણ ભમરાની એટલિજ ગરજ હોય છે...
આમ તો બધુ જ અરસ પરસ હોય છે ...
વ્યક્ત કરવાની રીત માત્ર નોખી નોખી બાકી પ્રેમ તો પ્રેમજ હોય છે.
નર ને નારી હોય કે ભમરોને ફૂલ બધે બધુ સેમ સેમ એમજ હોય છે.
દીવસભરની રજડપાટ ના અંતે.
પ્રાણી માત્ર સહવાસ ને એકાંત ઝંખે.
કોઈને ગુફા. કોઈને દર તો કોઈને ઘર હોય છે.
અને એ એકાંતમાં એક માદા ને એક નર હોય છે.
જીણી કિડીને પૂછો કે પૂછો જાડા હાથીને.
પ્રાણી માત્ર ઝંખે છે એક જીવન સાથીને.
પ્રકૃતિમાં બધુ જ સરખું .બસ વ્યાખ્યા જુદી જુદી-
લોકો આપે છે. બસ,એટલોજ માત્ર ફરક હોય છે...
આમ તો બધુ જ અરસ પરસ હોય છે ...
બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે...
"અનંત" સહજ વાત સહજતાથી સ્વીકાર તો મજા છે.
કોઈ પ્રાણીમા દંભ નથી . માનવીમાં કેટલા બધા છે.
જે સહજતાથી ના સ્વીકારે પ્રકૃતિની લીલાને ....
જીવન એમના સાવ કરતાં સાવ નીરસ હોય છે....
આમ તો બધુ જ અરસ પરસ હોય છે ...
બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે...
કોને કહ્યું કે કાયમ ભમરા અને પતંગિયા જ ફૂલોનો રસ ચૂસવાને,
ફૂલોની આસ પાસ ભમે છે.'?
"અનંત" ફૂલો પણ પોતાની માદક માદક મહેક દ્વારા ,
ભમરા અને પતંગિયાને આકર્ષતા હોય છે .
આકર્ષણનો નિયમ બધે એક સરખોજ લાગુ પડે છે પ્રવીણ..
કેમકે એ પ્રાકૃતિક છે.
જેને જિજ્ઞાસુ અને વેજ્ઞાનિકો સતત સમજવા મથતા રહે છે.
અને ક્યારેક તો માત્ર છાપાવાળા છાપા વહેંચવા પણ આવા તારણો છ્પાતા રહે છે.
જોકે એ જે કોઈ જે પણ કરે છે. જે થઈ રહ્યું છે. આખરે એ પણ પ્રકૃતિનો એક ભાગ જ છે.
હવે જોજે અહી પણ હું જે આગળ કહેવાનો છું તેમાં પણ એજ નિયમ લાગુ પડે છે. "આકર્ષણ....."
લોકોને પણ આવા તારણો કારણો જાણવામાં જ રસ હોય છે.
તેથી સમજદાર છાપા વાળાઓ એવા લેખો સંશોધનો છાપે છે કે.
જેનાથી વાંચક તુરંત આકર્ષાઈ જાય ....
ને છાપા ટપોટપ વહેંચાય જાય...
વાચકની ભૂખ સંતોષાય અને
છાપા વાળા પણ કમાય જાય....
મારૂ માનવું છે કે અગર પ્રકૃતિ અને પ્રકૃતિના નિયમને જો સમજી શકાય તો...
બાકી બધુ સમજવું સાવ કરતાં સાવ સરળ છે.
પ્રકૃતિના નિયમોને મોટે ભાગે કલાના જીવ વધુ સમજી શકે છે.
સ્વીકારી શકે છે.
કલાકાર કોઈ પણ હોય લેખક, શાયર, સંગીતકાર ,
ચિત્રકાર, ફોટો ગ્રાફર કે પછી ફિલ્મ મેકર હોય.
આ બધા કલાકારો પ્રકૃતિ અને ઈશ્વરની ખુબજ નજીક હોય છે.
કલાકારો પ્રકૃતિગત પોતાને થતી અનુભૂતીઓ અને ,
એમાથી ઉઠતી વેદના સંવેદનાઓને
પોતાની કળા દ્વારા આબેહૂબ રજૂ કરતાં હોય છે.
જે કલાકારો જેટલા પ્રકૃતિમય બની પ્રકૃતિમાં ઊંડા
ઉતરી પોતાનું સર્જન કરે છે એટલુ જ એમનું સર્જન ઊંડું અને આબેહૂબ રજૂ કરી શકે છે...
સર્જકો માત્ર પોતાની જ નહીં બલ્કે તે આમ લોકોની સંવેદના પણ સમજી શકતા હોય છે.
અને પોતાના સર્જનમાં એ આમ લોકોની ખુશી કે પીડા વણી લેતા હોય છે .
અને તેથી જ ઘણી વાર એવું બનતું હોય છે કે..
કોઈ પ્રેમી જો શાયર હોય અને પોતાની પ્રેમીકાને સંબોધીને કઈ કહેતો હોય છે .
ત્યારે એ લખે છે અને જ્યારે એ લખે છે ત્યારે એની ભીતરથી એવા શબ્દો ફૂટે છે કે ..
પછીથી ઘણા પ્રેમીઓ પોતાની પ્રેયસીને એમના શબ્દો દ્વારા નવાજતા હોય છે...
પોતાની લાગણી એ કોઈ લેખક કે શાયરના શબ્દો દ્વારા વ્યક્ત કરતાં હોય છે.
કેમકે આવું બધુ એના જેવુ લખતા બોલતા આમ લોકોને નથી આવડતું હોતું.
પોતાની પત્ની કે પ્રેયસીને અથવા પોતાનો પતિ કે પ્રેમી,
તેની સાથે એ કેવો વહેવાર કરે તો ગમે,
એ ખુદ સમજતા તો હોય છે પણ કહેતા નથી આવડતું હોતું.
તેથી લોચા મરાય છે , ને આગળ જતાં પસ્તાય છે , છૂટા પડી જાય છે ,
અથવાતો સમાધાન કરી જીવન ભર રિબાય છે..
ઘણા સમજુ લોકો વિવિધ કલાકારોના
શબ્દો , ગીત, સંગીત કે ચિત્રો દ્વારા પોતાની લાગણીઓ
પોતાના પ્રિય પાત્ર સમક્ષ વ્યક્ત કરતાં હોય છે ॰
કોઈએ જાણે પોતાના માટે જ એ શબ્દો પ્રયોજ્યા હોય,
એવું એ લોકો અનુભવી શકે છે. સર્જકોનું સર્જન એટલુ ઊંડું હોય છે કે ,
જોનાર સાંભળનાર વાંચનારને એમ થઈ જાય બસ હું આજ ઈચ્છતો હતો ,
અથવા મારે આજ કહેવું હતું , હું આમજ કહેવા માંગતો હતો આવું આવું ઘણું બધુ.
આમ આદમી જે નથી કરી શકતો. જે નથી કહી શકતો,
એ બધુ એક કલાકાર સહજતાથી સમજી સમજાવી શકે છે.
વર્ષો પહેલા જ્યારે અમે ત્રણેય ભાઈબંધો અધરાતે મધરાતે એ જર્ઝરિત
મહોલ્લામાં મળતા ત્યારે બૌ બધી ટાઢા પોરની હાંકતા ...
કૈ કેટલાય વિષય પર અમે ત્રણેય નિજાનંદ ખાતર વાતો કરતાં ...
એક દિવસ વાત વાતમાં જ્યારે કલા અને કલાકારો વિષેની વાત નીકળી ત્યારે ...
અજ્ઞાની એ કહ્યું કે ...
કલાકાર કોઈ પણ હોય.
ગીતકાર ,સંગીતકાર , ચિત્રકાર, મૂર્તિકાર, કવિ, લેખક કે શાયર જે પણ હોય .
એ પ્રકૃતિ તેમજ ઈશ્વરની બિલકુલ નજીક હોય છે.
કેમકે એ પણ સર્જન હાર છે , અને કલકરો પણ કલા દ્વારા નીત નવું સર્જન કરતાં હોય છે.
પ્રકૃતિના રંગ-ઑ-મિજાજને એક કલાકારથી બહેતર ભાગ્યેજ કોઈ સમજી શકે...
આવું વર્ષો પહેલા "અજ્ઞાની" એ કહેલું...
પ્રકૃતિને સમજવા માટે બારીક નજર સાચો દ્રષ્ટિ કોણ તેમજ પ્રકૃતિ સહજ-
સત્યને શ્વિકારવાની પણ તૈયારી જોઇયે.
આખરે બધી જગ્યાએ એકજ સિધ્ધાંત એટલેકે આકર્ષણનો સિધ્ધાંત લાગુ પડે છે.
અને "પુરુષ પુરૂષથી આકર્ષાય એવું તો કઈક ગરબડ હોય તોજ શક્ય છે ."
અહી એ સ્પષ્ટતા જરૂરી છે કે
પુરુષ પુરુષ સાથે મિત્રતા હોવી કે ગમવું એ જુદી વાત છે ..
અને સ્ત્રી પુરુષ વચ્ચે આકર્ષણ હોવું એમાં બડો તફાવત છે.
અને આકર્ષણ એ જ એક માત્ર કારણ છે કે અહી અઢળક વસ્તી છે.
જે હજુયે સતત વધતી જ જાય છે.
સ્ત્રી કે પુરુષ વચ્ચે કેવળ શારીરિક આકર્ષણ જ હોય એવું જરૂરી નથી ...
ને સ્ત્રી કે પુરુષ શારીરિક આકર્ષણથી થકી જ આકર્ષાતા હોય એવું પણ નથી જ !
બીજું એથીયે વધુ ઘણું બધુ એનાથી પણ કઈક વિશેષ હોય છે.
જેનું શબ્દોમાં વર્ણન કરવું કદાચ શક્ય નથી.
હા કઈક અજીબ કઈક વિશેષ તો છે જ એનો પુરાવો પણ હું આપી શકું
અગર જો પુરુષ કે સ્ત્રીને કેવળ શારીરિક આકર્ષણ જ હોય.
અથવા હોત તો ! એવા અસંખ્ય દાખલા મળી આવશે કે...
જે જાણ્યા પછી આ ભ્રમ ભાંગી જશે...!
બંગલા,ગાડી,ધન,દૌલત . ઇજ્જત અને નફામાં સુંદર પતિ, અથવા પત્ની મળવા છતાં..!
કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનથી કે જીવન સાથીથી સંતુષ્ટ ના હોય એવું પણ બને , કેમ?
“ હાં મન મારીને કોઈ જીવન પસાર કરી નાખે એ વાત નોખી છે.”
આખરે શારીરિક આકર્ષણ કરતાં પણ કઈક વિશેષ અને અજીબ...
ભૂખ ,તડપ,તરસ,તલબ જીવનમાં હોય છે .
જેના પુરાવા આપવા પ્રવીણ મારે તને ફિલ્મી દુનિયાની સફર કરાવવી પડશે .
તો ચાલ મારી સાથે....:)
કેમકે ત્યાંથી એવા અસંખ્ય પુરાવા પ્રાપ્ત થઈ શકશે.
જેનાથી એ સાબિત થશે કે સ્ત્રી કે પુરુષ-
“અપવાદ બાદ કરતાં .” માત્ર શરીર ભૂખ્યા જ નથી હોતા ...
કઈક વીશેષ એમની ભૂખ તરસ ને તડપ અને તલપ હોય છે.. જેમકે ...
મહાન કલાકાર ગુરુદત ,મીના કુમારી, અને પરવીન બોબી .
આ થઈ ફિલ્મી દુનિયાની મહાન હસ્તી એ સિવાય પણ અનેક હશે ..
પણ આ એવિ હસ્તીઓ છે કે જેમાથી કોઈએ શરાબ કોઈએ ઘેનની દવા ખાઈને તો-
કોઈએ સાવ એકાંતમાં પાગલ અવસ્થામાં જીવન ટૂંકાવ્યું છે.
આ કલાકારો ફિલ્મી દુનિયામાં આવીને નામ દામ ને ઇજ્જત ખૂબ કમાયા હોય છે .
એ જે પણ ચાહે તે ચપટી વગાડતા મળી શકે એ હદે તે દૌલત કમાયેલા હોય છે.
તેમ છતાં....
શું એમને ચાહે તો..! ચાહે તે! જીસ્મ ના મળી શકે ???
મળતા પણ હોય જ છે , અને એ માણતા પણ હોય જ છે !
તેમ છતાં.!
એ બધા .!
કઈક અજીબ ભૂખ,તરસ,તડપ ,તલબ અને પીડા લઈને આ ફાની દુનિયા છોડી ગયા.
પુષ્કળ નામ દામ બધુ હોવા છતાં...!
તેઓની કઈક અજીબ ભૂખ હતી...
અજીબ પ્યાસ હતી..
અજીબ તડપ હતી...
અજીબ તલપ હતી....
હાં સુંદરતા સભર શારીરિક આકર્ષણ જરૂર હતું જ !
અને એ તો હોવાનું જ સુંદરતા સદીઓથી પ્રથમ સ્થાને બિરાજમાન રહી છે.
પણ એ લોકોની જે ભૂખ, જે તલબ, જે તડપ, જે તરસ હતી તે શારીરિક તો હરગિઝ નહોતી.
તો શું હતી એ ભૂખ ? શાની હતી એ તડપ ?
શાની હતી એ તલપ ?
કેવી હતી એ તરસ... .???
આ એકોએક સવાલનો જવાબ પણ મારી પાસે છે જ ...!
પણ જવાબ આપી આ મસ્ત સવાલોની લિજ્જત બગાડવી મને નહીં ગમે.
" હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે"
"આમાં પણ ! હર એક સવાલનો જવાબ છુપાયેલો જ છે. !
જો શોધતા આવડે....!"
વર્ષો પહેલા જ્યારે અમે રાત્રે મળતા ત્યારે મે ચાયની ચૂસ્કી સાથે ,
મે અનંત ને પૂછ્યું લ્યા પ્રેમની શરૂવાત ક્યાથી થાય ...
કોઈને ચાહવા માટે જરૂરી શું ...?
અનંતે ટૂંકમાં કહ્યું ,
જરૂરી ઘણું બધુ પણ શરૂઆત ગમવાથી જ થાય ...
મને મનમાં બીજો પ્રશ્ન થયો મે એને પૂછ્યું
માત્ર ગમવાથી જ પ્રેમ થઈ જાય ..?
એણે કહ્યું હાં થઈ જાય પણ એકલાને જ !
અને એને પ્રેમ નહીં આકર્ષણ થયું કહેવાય ...
જે એક ઉમરમાં એક બીજા પ્રત્યે સૌને થાય ...
વાત માત્ર એક છોકરી ને એક છોકરાની છે !
મે પૂછ્યું એવું કેમ ?
તો એણે કહ્યું , કેમકે તે અગર કોઈને જોઈ અને એ તને ગમી એ નક્કી પણ !
એણે તને જોયો કે નહીં , અગર એને પણ તને જોયો, તો તું એણે ગમ્યો કે નહીં !
જ્યાં સુધી એ નક્કી થાય નહીં ત્યાં સુધી એકલાને જ આકર્ષણ થયું કહેવાય ...
જે એકલા એકલા મનમાં ચાહતના ભાવ પેદા કરે ,
અને તું એ આંખના આકર્ષણ મનોમન પ્રેમ સમજે તો ,
ભોગવવાની તૈયારી પણ તારે એકલાએ જ રાખવી પડે ..!
મે કહ્યું યાર ટુકડે ટુકડે મને નૈ સમજાય આખે આખું સમજાવ ..
ત્યારે અનંત બોલ્યો ...
જો પરિયા વાત જ્યારે પ્રેમ સંબંધની જ હોય ત્યારે ...
પ્રથમ આકર્ષણ જરૂરી ...
અને સુંદરતા તરફ સૌ કોઈ આકર્ષાય ...
સિવાય કે ભૂંડ કે મચ્છર કે પછી આવા બધા જે ગંદકીમાં રહેવા ટેવાયેલા હોય ...
પણ આમ તો જોકે એ ગંદકી પણ એના માટે આકર્ષક જ હોય એટલે એ એવા બધા
ગંદકી તરફ આકર્ષાય કેમકે એના માટે એજ સ્વર્ગ સમાન હોય ,
જે આપણાં માટે નર્ક સમાન હોય ...
મે કહ્યું યાર તુય કમાલ છે વાતની ગતિ
માણસમાથી પ્રાણી તરફ લઈ જાય છે !
ક્યાથી ક્યાં વાત લઈ જાય છે ...
મૂળ પ્રશ્નનો જવાબ આપ ને યાર...
અનંતે કહ્યું એ જરૂરી હતું ...
જે શરૂઆત એજ અંત હોય છે આખરી ...
મને કઈ ટપ્પો ના પડ્યો ...
પછી એણે વિગતવાર આગળ ચલાવ્યું ...
સંભાળ પરિયા પ્રેમ થવા પાછળ નું કારણ ...
પહેલું યુવા ઉમર અને પ્રાકૃતિક શારીરિક રાસાયણિક ફેરફાર ...
પછી જે કઈ થાય એ બધુ એણે આધીન જ થાય ...
જેમકે વિજાતીય આકર્ષણ...
જે કદાચ સુંદરતા વિના શક્ય નથી ...
મે પૂછ્યું અને પછી ?
એણે કહ્યું , અને પછી ઘણું બધુ પણ ...
પ્રથમ ગમવું અને ગમતાને ચાહવું ..
ગમ્યા વિના ચાહત શક્ય ન નથી..!
એ સિવાય પણ બીજું ઘણું બધુ જરૂરી હોય છે ...!
પણ પ્રયાસ થઈ શકે એ જોવા જાણવાનો કે એ જે આપણને ગમ્યું ...
જેને આપણે ચાહીયે છીયે એ બધી જરૂરિયાત પૂરી કરી શકશે કે નહીં !
બાકી માણસની જરૂરિયાત અને ઝંખનાનો કોઈજ અંત નથી ...
અને જરૂરિયાત ક્યારેય કોઇની પૂરેપુરી સંતોષાતી નથી ...
અને આ અસતોષ આ અધૂરપ જ ઉતમ સર્જનનું મહા કારણ...
એ એની બધી વાત સાંભળી પણ એમાથી અડધી પણ હું સમજી ના શક્યો બોલો ..!
આખરે વાત તો અહિજ આવી ને અટકી કે ...
બધાની ભીતર એક સમજી શકાય, છતાં ના સમજી શકાય એવી,
અજીબ ભૂખ,તરસ,તડપ,તલપ છુપાયેલી જ હોય છે...
ચંદ શબ્દોમાં જેને વર્ણવી ના શકાય, એવી આ કાયમ અધૂરી અવ્યક્ત રહેતી-
અદભૂત અલૌકિક ઝંખના સૌ કોઈમાં છુપાયેલી હોય જ છે.
આ એક એવિ ઝંખના છે, જેને આ મૃત્યુ લોકના માનવી યુગોથી જુદી જુદી રીતે -
સમજવા સમજાવવા વ્યક્ત કરવા પ્રયાસ કરે છે...
મથતો રહે છે , લખતો રહે છે...
'ને તેમ છતાં સંપૂર્ણ પણે આ લાગણીને આજ સુધી ...
કોઈ જ સમજી સમજાવી કે વ્યક્ત કરી શકતું નથી.
કેમકે આ લાગણી અનુભૂતિનો વિષય છે. બસ અનુભવેજ અનુભૂતિ થાય.
જ્યારે માનવીની ભીતર કોઈ ઝંખના નથી રહેતી ત્યારે તે સાવ નિર્જિવ સમાન થઈ જાય છે.
સંસાર છોડી સાધુ થવું એ પણ એક જાતની ઝંખના જ છે , એમાએ અલૌકિક મજા છે.
"ઝંખના વિનાનું જીવન પણ ક્યાં જીવન હોય છે ?”
હર એક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે ..!
મારી પાસે હર સવાલના જવાબ છેજ !
લેકિન ...
અમુક અમુક સવાલો પણ મસ્ત લિજ્જતદાર હોય છે...
માટેજ મને એમ પણ થાય કે.
તો પછી શા માટે ?
જવાબ આપીને હું એ મસ્ત સવાલોની લિજ્જત બગાડું ..!
ઘણા પ્રશ્નો અનૂતર રહે એમાં જ એની મજા હોય છે .
લિજ્જત હોય છે આનંદ હોય છે. મસ્તી હોય છે.
" અસ્સલ નામ વગરના સંબધ જેવી”
અને હું એ અલૌકિક મસ્તીમાં જીવું છું.મને બસ આમજ જીવવું ગમે છે.
કોઈ વાંચે છે ,નથી વાંચતું , કોઈને ગમે છે, નથી ગમતું,
કોઈ ગમાડે છે ,નથી ગમાડતું .
હું બેફિકર છું. આ બધાથી હું પર છું.
બસ મને ગમે તે હું કરું .
મને ગમ્યું તે ખરું..:)
અંતમાં અનંત લિખિત બ્લાસ્ટ :-
उम्रभर मिटती नहीं “अनंत” ये दो भू:ख.
एक प्रेमकी इच्छा और दूजी प्रेमीसे हूंफ.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&ભાઈબંધ અનંતે ભીતરના અનંત ઊંડાણમાં ઉતરીને વર્ષો પહેલા લખ્યું હતું કે ,
એક સ્ત્રી ને આખરે જોઈએ છે શું ? ધન દૌલત ઈજ્જત શોહરત આલીશાન મહેલો જેવા (મકાન) ,તમામ હોવા છતાં તે સુખી નથી હોતી ..!મકાન ..!
મકાનમાં સ્ત્રી ઘર વિહોણી હોય છે અને સ્ત્રીઓને આલીશાન મકાન નહિ હુંફાળા ઘર ની ઝંખના હોય છે. જેમાં તેની સાથે એક પ્રેમાળ હુંફાળો સહવાસ આપનાર પુરુષ હોય જે "એ પહેલા પણ પ્રેમ કરે અને પછી પણ પ્રેમ કરે" અને તેની સતત અનંત કેર કદર કરતો હોય ....
"અનંત" પ્રેમ શું ચીજ છે એજ ખબર નથી હોતી..! જેની પાસે હોય છે એને પ્રેમ ની કદર નથી હોતી .! "અનંત"उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख !एक प्रेमी की इच्छा और दुजी प्रेमी से हुंफ !"अनंत" *બ્લાસ્ટ*અગર તું વિચારે છે કે એ જીવન માં હોતે તો સુખી થાત. આ છે તેના કારણે દુઃખી છે તો એ માત્ર તારો ભરમ છે.! અગર સુખ મળવું તારા હીશાબ માં હોત તો એમાં જ મળતે જે છે. અગર દુ:ખ મળવું તારા હિશાબ માં છે તો એમાં પણ મળતે જે હોતે. "અનંત" વધુ આવતા ભવે.....
એક સ્ત્રી ને આખરે જોઈએ છે શું ? ધન દૌલત ઈજ્જત શોહરત આલીશાન મહેલો જેવા (મકાન) ,તમામ હોવા છતાં તે સુખી નથી હોતી ..!મકાન ..!
મકાનમાં સ્ત્રી ઘર વિહોણી હોય છે અને સ્ત્રીઓને આલીશાન મકાન નહિ હુંફાળા ઘર ની ઝંખના હોય છે. જેમાં તેની સાથે એક પ્રેમાળ હુંફાળો સહવાસ આપનાર પુરુષ હોય જે "એ પહેલા પણ પ્રેમ કરે અને પછી પણ પ્રેમ કરે" અને તેની સતત અનંત કેર કદર કરતો હોય ....
"અનંત" પ્રેમ શું ચીજ છે એજ ખબર નથી હોતી..! જેની પાસે હોય છે એને પ્રેમ ની કદર નથી હોતી .! "અનંત"उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख !एक प्रेमी की इच्छा और दुजी प्रेमी से हुंफ !"अनंत" *બ્લાસ્ટ*અગર તું વિચારે છે કે એ જીવન માં હોતે તો સુખી થાત. આ છે તેના કારણે દુઃખી છે તો એ માત્ર તારો ભરમ છે.! અગર સુખ મળવું તારા હીશાબ માં હોત તો એમાં જ મળતે જે છે. અગર દુ:ખ મળવું તારા હિશાબ માં છે તો એમાં પણ મળતે જે હોતે. "અનંત" વધુ આવતા ભવે.....
















