બ્લાસ્ટ:-
સારું કે ખરાબ કોઈ પણ જાતનું પરીવર્તન
ક્યારેય એકાએક નથી જ આવતું.
સૂકા ભઠ્ઠ રણમાં અગર લીલી કૂંપણ ફૂટી નીકળે તો એ કોઈ ચમત્કાર
થયો છે એમ સમજવું મૂર્ખતા છે .
કોઈ કાળે ધરતીના પેટાળમાં કોઈ બીજ વાવાઈ ગયું હોય.
તો તો અને તોજ અનુકૂળ વાતાવરણ સર્જાતા.
રણમાં લીલો છોડ ઊગી નીકળે છે .
પારકી ઈચ્છા અને ઉછીના વિચારથી
ક્યારેય કોઈ વ્યક્તિમાં કે કોઈના જીવનમાં પરીવર્તન ના જ આવે.
ખુદનની ઈચ્છા અને પોતાનાજ ઊંડા વીચારથી કોઈ વ્યક્તિ ક્રમશ
બદલાઈ શકે ...
જેઓ બદલાયા છે એમને પૂછશો તો ખ્યાલ આવશે કે
એ લોકોએ એ પ્રમાણે ઈચ્છા કરી હશે ...
અને માત્ર ઈચ્છા કરીને બેસી ના રહેતા ઈચ્છા મુજબ બદલવાનો .
ક્ષણ ક્ષણ પ્રયાસ એવં પુરુષાર્થ પણ કર્યો હશે ..
"અજ્ઞાની "
No comments:
Post a Comment