વર્ષો પહેલાં લખેલા..
ભાઈબંધ “અજ્ઞાની”એ
લખેલા ઓઠા ...."
" પાત્ર એટલે માનવ માત્ર "
હોય જ્ઞાન કે અજ્ઞાન
ખાલી તે ભરવાની મજા
ભરાયું તે કરવું ખાલી.
“અજ્ઞાની” ગંધાય ઊઠે
એ પહેલા ને પછી પણ !
બદલતું રહેવું પાણી.
પહેલેથીજ જે હોયભરેલું
એમાં જઇ જઇ ને જાય શું.. ?
"અજ્ઞાની" જે ખુલ્લુ ને ખાલી હોય
તે પાત્ર ભરાય પણ ખરું.
એક પાત્ર એવું
જેની માથે ફિટોફિટ
ઢાંક્યું હોય ઢાંકણું.
બીજું પાત્ર એવું હોય
જેની તળે હોય મસ મોટું કાણું.
"અજ્ઞાની" ભરેલું ભરાય નહીં
છિદ્ર વાળું છલકાય નહીં.
"અજ્ઞાની"
https://m.facebook.com/photo.php?fbid=447439125365794&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz
મજા ભરાઈ જવામાં જેટલી,
એટલી જ ખાલી થવામાં હોય છે.
“અજ્ઞાની” મુક્તિ જેવી જ મજા
પ્રેમથી બંધાઈ જવામાં હોય છે.
"અજ્ઞાની"
https://m.facebook.com/photo.php?fbid=447439125365794&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:
Post a Comment