https://m.facebook.com/story.php?story_fbid=798289991378095&substory_index=798289991378095&id=100002991311961&mibextid=Nif5oz
વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે..!
રાતની નીરવ શાંતી વચ્ચે...
ખંડેર ના એકાંતમાં જ્યારે
અમે ત્રણેય ભાઈબંધો મળતાં..!
ત્યારે ઘણી વાતો પર સતત સખત
મનન મંથન કરતાં...
તે રાત્રે ચાય પીતા પીતા મે અનંતને કહ્યું.
અનંત, સાંભળ્યું છે કે,
મન મોતી ને કાંચ એકવાર તૂટયા પછી,
ફરી ક્યારેય સંધાતા નથી.!
શું આ સાચુ છે.?
બે શક્ક.! આ સત્ય છે પરીયા..
પણ પુર્ણ નથી અર્ધ સત્ય છે.!
અનંતે દ્રઢતા પુર્વક કહ્યું.
મે પુછ્યું તો પુર્ણ સત્ય શું છે.?
જવાબમાં અનંતે કહ્યું.
જો પરીયા મન મોતી કે કાંચ
જાણે અજાણે તુટી જાય...
પણ બંને ટુકડાની
દ્રઢ ઈચ્છા હોય તો
ફરી સાંધી પણ શકાય...
કાંચ હોય કે મન.!
બંને ને ઓગળવુ પડે.!
એક ટુકડો ઓગળવા તૈયાર હોય,
અને બીજો ટુકડો ઓગળા તૈયાર ના હોય
તો ફરી જોડવુ જોડાવુ શક્ય નથીજ.!
એક ટુકડો અગર પુર્ણ રીતે ઓગળવા તૈયાર હોય અને બીજો પરાણે પરાણે રાજી થાય
તો પણ એવા ટુકડાઓ સંધાય તો જાય,
પણ એવા અધુરા સંધાણમા તિરાડ તો
રહીજ જાય અને સાંધો પણ દેખાયજ.!
એવુ અધુરૂ અને કાચુ જોડાણ
લાંબુ ટકતુ નથી.!
એવા જોડાણ ફરી તૂટવાની
શક્યતા પણ રહે છે ..!
પણ અગર જો તુટેલા બંને મન...
અગર પવિત્ર પ્રેમની આગમાં
પુર્ણ પણે તપવા ઓગળવા તૈયાર હોય,
તો.! કાંચ હોય કે મન
સખત રીતે જોડાય જાય છે...
પ્રેમની આગમાં તપ્યા ઓગળ્યા પછી.!
એમા સાંધો વાંધો કૈજ ના દેખાતો નથી.!
એની ચમક પણ પહેલાં કરતાં વધી જાય છે.
અગર બંને ટુકડાની
સંધાઈ જવાની દ્રઢ ઈચ્છા હોય તોજ.!
આ શક્ય છે.!
બાકી એકજ ટુકડાની
પવિત્ર પ્રેમની આગમાં ઓગાળીને
જોડાઈ જવાની ઈચ્છા વ્યર્થ છે.!
હું હર ક્ષણ પવિત્ર પ્રેમની આગમાં
તપવા ઓગળવા તૈયાર છું.!
બીજા ટુકડાની મને ખબર નથી.!
પરીયા... મને નથી ખબર...
**********
અનંત વારંવાર પ્રેમમાં પડતો કે પછી,
એને કોઈ પાડી દેતું ખબર નૈ ...
પણ પછી અનંત...
છોલાતો ,ઘવાતો ,ચિલ્લાતો , પીડાતો ...
'ને ફરી પાછો ફીનીક્ષ પક્ષીની જેમ
રાખમાથી બેઠો થતો અનંત...
અનંત ...
અનેક વાર થતા હ્રદયના ઘાવ પર
થાગડ થીગડ કરી જરી ઠીક થતો,
'ને ફરી ,
એ એજ પીડતા પ્રેમની રાખ માથે ચડાવતો ...
અને, કહેતો કે,
*બ્લાસ્ટ*
તુટેલા સાથે ઓગળે તો એ રીતે સંધાય...
"અનંત" પછી તો તીરાડ પણ ના દેખાય.!
"અનંત"

No comments:
Post a Comment