કાયદા ના રખેવાળો ગુંડાઓના ગુલામ થઈ ગયા છે..!
માનનીય શ્રી કલેકટર સાહેબ, જય ભારત સાથ જણાવવાનું કે,
જીલ્લા સ્વાગત કાર્યક્રમ મા અરજી આપ્યા પછી મને એવો વિશ્વાસ હતો કે હવે અમોને ચોક્કસ ન્યાય મળશેજ.!
પણ એ આશા પણ ઠગારી નીવડી રહી છે.!
જો કે આપ સાહેબનો એમાં કોઈ દોષ નથી.
કેમકે આપ શ્રી ના આદેશથીજ ચીફ ઓફિસર સાહેબે અમોને રૂબરૂ બોલાવીને દસ દિવસમાં ગેરકાયદેસર દબાણ દુર કરવા ની ખાત્રી આપી હતી.
પણ હવે એવુ લાગે છે કે ચીફ ઓફિસર સાહેબે આપ સાહેબને તત્કાલ લેખીતમાં જવાબ આપવાનો હોય,
અમોને રૂબરૂ બોલાવીને આપ શ્રી ને જવાબ આપી દીધો.
અને હવે ફરીથી અમને ધક્કે ચડાવી રહ્યા છે.
આજે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળી જ્યારે મે જણાવ્યું કે સાહેબ તમે સામાવાળા આપેલા વધારાના સમય મુજબ દસ દિવસ થઈ ગયા છે, પરંતુ સામાવાળાએ દબાણ દુર કર્યુ નથી.
તો હવે આપ નગર પાલિકા દ્વારા રૂબરૂ ખાત્રી આપ્યા મુજબ તમામ ગેરકાયદેસર દબાણ દુર કરાવો.
જવાબમાં સાહેબે એવુ કહ્યું કે, નગરપાલિકાની કામ કરવાની પદ્ધતિ હોય હોય એ મુજબ થાય, એ લોકો કારણ આપે શા માટે દબાણ દુર નથી કર્યું એ પછી ખબર પડે.!
અહીં સવાલ એ થાય છે કે તો પછી જ્યારે તા ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ રૂબરૂ સામે વાળાને સ્પષ્ટ સૂચના આપતા કહ્યું હતું કે,
નગર પાલિકાની જગ્યા છે તેથી તમારે તમામ દબાણ દુર કરવાનુ છે.! આટલું સ્પષ્ટ હોવા છતાં કે જગ્યા નગર પાલિકાની છે તો પછી સામેવાળા ના કારણો આપવાની રાહ જોવાનીજ ક્યાં રહે છે.??? હવે સામેવાળા ની કોઈજ દલીલ કે કારણો જાણવાને કોઈ કારણજ નથી કારણ કે, સીટી સર્વે નકસામા મુજબ પણ સ્પષ્ટ થાય છે કે એ રાવડી નહેર છે અને નગરપાલિકાની છે.!
તેમ છતાં કારણ સ્પષ્ટ છે કે એ લોકો એવુ ઈચ્છે છે કે અમારી બારી કાયમી ધોરણે બંધ રહે તો તેઓ કાયમી ધોરણે નગર પાલિકાની જગ્યા પર કબ્જો કરી શકે.
અને એવાજ બદ ઈરાદે એ લોકોએ અમારી બારી પાસે ધાકધમકી આપી બારી ચણી લીધી છે.!
તો શું નગર પાલિકા એવુ ઈચ્છે છે કે એ લોકો નગર પાલિકા ની જગ્યા પર કાયમી કબ્જો કરી અમોને કાયમી અંધારામાં રાખે..???
ખૈર....
સાહેબ બહાર જતા હોય, ઉતાવળ મા હતા પણ જતા જતા કહેતા ગયા કે જયદિપ ભાઇને સુચના આપી દીધી છે તમે એમને મળે લ્યો.
જય દિપ ભાઈને મળી ને પુછપરછ કરતા તેઓએ મને કોઈજ જવાબ આપ્યો નહીં,
વારંવાર પુછતા જયદિપ ભાઇએ મને ધમકી આપતા કહ્યું કે હું તમારી વીરૂધ્ધ ફરિયાદ કરીશ કે તમે મને ટોર્ચર કરી રહ્યા છો.
ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે.
સાહેબ છેલ્લા સાડા ત્રણ મહિના થી ચીફ ઓફિસર અને સર્વેયર જયદિપ ભાઇ મને સાચાખોટા જવાબ આપી ગેરવર્તણાક કરી મને હેરાન પરેશાન કરી રહ્યા છે.
ધક્કા ખવડાવી રહ્યાં છે.!
તા ૨૨/૧૨ /૨૦૨૧ ના રોજ કરેલ અરજી મુજબ અને તા ૨૩/૧૨ /૨૦૨૧ ના રોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપ સાહેબ સમક્ષ નગર પાલિકા ના સર્વેયર જયદિપ ભાઇ એ આપ સાહેબના આદેશ ને સ્વીકારી દિવસ દસ બાદ દબાણ દુર કરશે એવી બાંહેધરી આપ શ્રી ને આપી હતી.
નગર પાલિકા દ્વારા આપેલ વધારાનો સમય પુરો થઇ ગયો છે.
એ ઉપરાંત આજે ત્રણ દિવસ થઇ ગયા છે.
તેમ છતાં નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા કોઈજ પગલા લેવામાં આવ્યા નથી.
નગર પાલિકા ચીફ ઓફિસર અને સર્વેયર જયદિપ ભાઇ આપ સાહેબ ના આદેશની પણ અવગણના કરી રહ્યા છે.!
સાહેબ ત્રણ દિવસ સુરજ ન નીકળે તો પણ પ્રાણી માત્ર અકળાઈ ઉઠે અને સુર્ય પ્રકાશ વગર માણસ બીમારીનો ભોગ બની જતો હોય છે.!
તો સાહેબ અમારા ઘરમાં સાડા છેલ્લા ત્રણ મહિનાથી સામાવાળા એ અમારી બારી પાસે ગેરકાયદેસર રીતે ચણેલી દિવાલ ને કારણે અંધારૂ છે..!
અંધારાના કારણે અમારૂ માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય કથળી ગયુ છે.
છેલ્લા સાડા ત્રણ મહિનાથી હું સતત અરજીઓ કરી કરીને ન્યાય માટે અહીં તહીં ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ મને ન્યાય મળતો નથી તેથી અમારા ઘરનું અંધારૂ દુર થતુ નથી.!
જીલ્લા સ્વાગત કાર્યક્રમ મા અરજી આપ્યા પછી મને એવો વિશ્વાસ હતો કે હવે અમોને ચોક્કસ ન્યાય મળશેજ.!
પણ એ આશા પણ ઠગારી નીવડી રહી છે.!
જો આમજ ચાલશે નીર્દોષ અને સાચા લોકોને ન્યાય મળવાને બદલે અન્યાય થતો રહેશે તો ખોટા અને ગુનેગારોની તાકાત વધતી જશે અને એ લોકો એક દિવસ ન્યાયયાલય પર કબ્જો કરી ને ન્યાયધીશોને પણ ગુલામ બનાવી દેશે..!
આપ સાહેબને નમ્ર વિનંતી કે, ચીફ ઓફિસર ને રૂબરૂ બોલાવીને આપેલી બાંહેધરી મુજબ તેમજ મે તા:-૨૨ /૧૨ /૨૦૨૧ ના રોજ આપેલ છેલ્લી અરજી મુજબ અમલવારી કરવા સુચના આપી.
નગર પાલિકા ની જગ્યા પર નુ તમામ ગેરકાયદેસર દબાણ દુર કરાવી અમોને અમારો સુખાધિકાર હવે તત્કાલ પરત અપાવો...
SWAGAT
Apni District Swagat ni araji jaruri karyavahi mate sabandhit kacheri ne mokli aapel chhe. aa arjino ref. no. DS/2021/649 chhe.
-CMO Gujarat
સત્યમેવ જયતે
જય ભારત
જય હિન્દ
વંદે માતરમ્
અરજદાર :- પરેશ. મોહનલાલ. કતીરા
મોનં. ૯૪૨૬૯૯૮૬૭૩
મોનં. ૮૩૨૦૦૫૬૩૭૦
ફરી એક વાર સુચન કરૂ છું સાહેબ કે, નગરપાલિકાની તમામ ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે.
કારણ કે ઈશ્વર નો કોઈને ડર નથી.
માણસ નથી જાણતો કે તેમની પર કે તેમના સારા ખરાબ સાચા ખોટા કાર્ય પર અનંત ઈશ્વરની નજર છે.!
તેથી તે ખોટુ બોલતા ખોટુ કરતા ડરતો નથી.
ઈશ્વર ની નજરથી ન ડરનારો કેમેરાથી કદાચ, ડરે
હું નથી જાણતો કે નગર પાલિકા ચીફ ઓફિસમાં ખુણે ખાંચરે ક્યાંય સીસીટીવી કેમેરા છે કે નહીં, અગર છે તો ચાલુ છે કે નહીં જો કે હજુ સુધી મારા ધ્યાનમાં કેમેરા આવ્યા નથી.
અગર કેમેરા હોય તો અને ચાલુ પણ હોય તો
૨૨/૧૨ /૨૦૨૧ ના ફુટેજ તપાસજો તો ખ્યાલ આવશે કે
તે દિવસે સાહેબે શું બાંહેધરી આપી હતી.
હવે થોડીવાર માટે આપ એ ભુલી જાવ કે
આપ ઉચ્ચ અધિકારી છો ,
અને હું એ ભુલી જાવ છું કે હું સામાન્ય અરજદાર છું.!
માત્ર માનવતા અને આત્મીક રીતે વર્ષો પહેલાં મારા ભાઈબંધોએ કહેલી થોડી વાત હું તમને કહેવા ઈચ્છુ છું.!
તમે વાંચસો કે નહીં,
અગર વાંચસો તો વીચારસો કે નહીં અને અગર વીચારસો તો વાણી વ્યવહાર કે જીવનમાં ઉતારશો કે નહીં.! એ હું નથી જાણતો તેમ છતાં મારૂ અંતર એમ કહે છે કે, આ વાતને તમે ચોક્કસ ઊંડાણ પુર્વક સમજશો.
હાં તો
જયદિપ ભાઈ...
મારો ભાઈબંધ કહેતો કે,
સારૂ ખરાબ, સાચુ ખોટુ, ન્યાય અન્યાય...
આપણે જે કૈ પણ કરતા હોઈએ છીએ તે બધુ.
દુનિયા જાણે કે ન જાણે મગર આપણો આત્મા બધુંજ જાણતો હોય છે..!
આખરે એજ આત્મા સુખ દુઃખ આનંદ કે પછી પીડા આપતો હોય છે.!
***********
સાચી વ્યક્તિ થોડી ચર્ચા પણ કરે છે. જ્યારે ખોટી વ્યક્તિ જુઠ બોલી જુઠના આધારે ખોટી દલીલો અને વીવાદજ કરે છે.!
ખોટી વ્યક્તિ ઓછુ સાંભળે છે અને વધુ બોલે છે..!
******
ખોટી વ્યક્તિ સાચાને બોલવાનો મોકો નથી આપતી.
કારણ કે ખોટી વ્યક્તિના મનમાં ભય હોય છે કે જો સાચી વ્યક્તિ ને બોલવાનો મોકો આપીશું તો પોતાનુ જુઠ પકડાઈ જશે..!
********
એટલે જુઠાને પહોંચવું ખુબજ અઘરૂ છે.!
********
ખોટી વ્યક્તિની વાત નોખી છે.!
એતો તુરંત વ્યક્ત થઈ જાય છે.!
મગર
સાચી વ્યક્તિ ને પોતે સાચો છે,
એવુ સાબિત કરવા ખુબજ સંઘર્ષ કરવો પડે છે.!
*********
થોડો ઘણો સંઘર્ષનો સમય તો બધાના જીવનમાં આવે પણ સાચી વ્યક્તિને જીવનમાં
વધુ સંઘર્ષ કરવો પડે છે.!
******
ખોટા લોકો ને સાથ દેતા પહેલા સો વાર વીચારી લેવુ,
કેમકે જુઠનો સાથ દેવાથી બંધાયેલ કર્મ અને એ કર્મને આધીન જ્યારે પીડા મળશે ત્યારે, એમા એ કોઈ ભાગ પડાવવા નહીં આવે,
એ પીડા તો તમારે એકલાએજ ભોગવવી પડશે.!
************
માણસે માણસથી ડરવા કરતા ઈશ્વરથી ડરવુ જોઈએ..!
હું ઈશ્વર થી ડરૂ છું.!
કારણ કે હું જાણું છું કે
તે હિશાબ મુજબ સૌનો હિશાબ ચોખ્ખો રાખે છે.!
અને એ મુજબ સારા કે ખરાબ કર્મોનો હિસાબ આપે છે.!
અને એ હિસાબ ના આધારે જવાબ માંગે પણ છે ને
આપે પણ છે.!
ઈશ્વર કોઈને બક્ષતો નથી.!
********
માણસ માણસથી કદાચ,
બચી પણ જાય મગર,
કરેલા કર્મોથી
કોઈજ બચતું નથી.!
*હું પણ.!*
વખત આવ્યે, સમય પાક્યે કર્મ એનુ કાર્ય અચુક શરૂ કરેજ છે.!
અને પછી આપણને આપણા કર્માનુસારજ સુખ દુઃખ આનંદ કે પછી આર્થિક શારીરિક કે માનસિક પીડા મળતી હોય છે.!
આવુ બધુ વર્ષો પહેલાં અનંત અનુભવના આધારે મારા ભાઈબંધો કહેતા...!
ઈશ્વર સત્ય છે.!
સત્યજ ઈશ્વર છે.!
🙏🙏🙏🙏🙏