Saumya Joshi જી ....
આવું હું ભાગ્યેજ કરું છું... :)
જે અત્યારે કરી રહ્યો છું.... :)
આવા સમયે હું રીતસરનો
દલાતરવાડી થઈ જાઉં છું ....
પહેલા પૂછું છું ને પછી જાતે જ
જવાબ આપી લઈ લઉં છું...
મને જે જોઇયે તે...
પણ એ જૂનું થયું ,
આજે એવું નહીં , જરા નવું ...
તમે રાજેન્દ્ર શુક્લના ઉન્માદ ભર્યા શબ્દોથી
સજાવેલું ઉત્કટ ચિત્ર ...
તમારા શબ્દો સમેત હું લઈ જાઉં છું...!
અહી સજાવવા માટે
>>>>pkatira.blogspot.in<<<<
આ હું પૂછતો નથી ... માત્ર કહું છું... :)
કઈ વાંધો વિરોધ હોય, તો....
એ તો પછી જોયું જશે... :)
અને પછી....
તમે કાય વાંધા ઉઠાવો એ પહેલા
મે કામ પતાઈ લીધું.... :)
http://pkatira.blogspot.in/2015/01/blog-post_30.html#links
રાજેન્દ્ર શુક્લ... આપણી ભાષાના આધુનિક કવિ/ગઝલકાર. ગુજરાતી સાહિત્યનો ભાગ્યે જ કોઈ એવો પુરસ્કાર હશે જે 'ઋષિકવિ'નું બિરુદ પામેલા આ અનન્ય કવિને અર્પણ નહીં થયો હોય.
ભાવને પ્રગટ કરવાની, ભાષાનું આભિજાત્ય ઉપસાવવાની અને નવાં નવાં કલ્પનો, ઉન્મેષો પ્રગટાવવાની બાબતે તેમનો જોટો જડવો મુશ્કેલ છે. ગુજરાતી સાહિત્યને તેમનું પ્રદાન એક નવું જ પરિમાણ બક્ષે છે. કવિવરે કેટલાંક ઉત્તમ રતિકાવ્યો લખ્યાં છે.
પ્રસ્તુત કાવ્યાંશમાં, કવિવરે, અત્યંત સૂક્ષ્મ અભિવ્યક્તિ દ્વારા એકદમ સહજ રીતે રતિક્રીડાને વર્ણવી છે!
https://www.facebook.com/photo.php?fbid=189326894570748&set=a.105599722943466.13333.100004803154933&type=1&permPage=1

No comments:
Post a Comment