માણસ કેમ રંગ ના બદલે , જો ક્ષણ ક્ષણ પ્રકૃતિ રંગ બદલતી હોય...
પ્રકૃતિ પળ પળ રંગ બદલે છે !
પ્રકૃતિ જેટલા રંગ બદલવાની માણસની ઔકાત કે તાકાત જ નથી..!
આજ સુધી કુદરત યાની પ્રકૃતિના રંગને ,સ્વભાવને,
માણસજાત પૂરેપુરી સમજી ઓળખી શકી જ નથી..!
મથે છે બસ મથ્યા જ કરે છે સૌ કોઈ ...
ભટકે છે બસ ભટક્યાજ કરે છે સૌ કોઈ ....
પશુ માં પ્રકૃતિના રંગને , સ્વભાવને ઓળખવાની અસિમ શક્તિ છે ..!
જે યુગો પહેલા કોઈ કોઈ માણસોમાં હતી જે હવે નથી ..!
માણસ કઈ કરતાં કઈ કરી શકતો જ નથી ...
હાં એ કરી શકે છે તો માત્ર ને માત્ર ભ્રમ ..!
કે મે આ કર્યું , મે તે કર્યું . વિગેરે વિગેરે ...
હકીકતે તો પશુ કે માનવમાં પળ પળ કે સમય સમય પર જે બદલાવ આવે છે ...!
તે માત્ર ને માત્ર પ્રકૃતિને આધીન જ હોય છે ..!
લોકોની જાણ બહાર હે દોરી સંચાર કરે છે અને બધુ થાય છે, થયા કરે છે ..!
"અજ્ઞાની" આમજ યુગે યુગે બધુ બદલાય છે , બદલાયા કરે છે ..!
"અજ્ઞાની"



No comments:
Post a Comment