આજે થોડા કાગળિયા લઈને બોઠો ...
ઊથલાવ્યા વાંચ્યા ..
જે કાગળ આગળ આવ્યો તે જોતાં લાગે છે કે,
કદાચ એણે કઈ કહેવા ચાહયું છે..!
તે અધૂરું છે !
બની શકે પૂર્ણ વાત કોઈ બીજા કાગળમાં મળે ...
બધુ અસ્ત વ્યસ્ત છે !
કદાચ ના પણ મળે અને કદાચ મળે તો વર્ષો બાદ મળે ...
ખૈર આ પળે
જે મળ્યું તે માણું ...
બાકી હું કાઇ ના જાણું ..
@@@@@
અનંત લખે છે ...
જ્યારે પણ હું મારમાથી નિકળું છું
ઘનઘોર અંધારમાથી નિકળું છું.
મારી ઈચ્છા મુજબ હું જ્યારે ચાહું,
હું બહારથી અંદર અંદરથી બહાર.
જ્યારે હું ચાહું ત્યારે કરું અંધકાર...
જ્યારે હું ચાહું ત્યારે ધરું સવાર...
શબ્દે શબ્દ મારો ધબકાર...
મારા વિચાર તારા વિચાર...
આ પણ વિચાર તે પણ વિચાર...
તું ચાહે જે પણ વિચાર ...

No comments:
Post a Comment