તારી આ વાત પર થી મને વર્ષો પહેલાં ભાઈબંધે અનંતે કહેલી વાત યાદ આવી ગઈ...
અનંત કહેતો હતો કે,
જન્મ બાદ હરેક વ્યક્તિ નું શરીર અને સમજ શક્તિ ક્રમશઃ સતત વધે છે અને વધતીજ જય છે.!
પછી વ્યંગ કરતા અનંતે કહ્યુ હતું કે,
એ વાત નોખી છે કે, ઘણા ના માત્ર શરીર જ વધે છે.!
જો કે આ બધી મનની માયા જાળ છે.!
બદલાવ બાહ્ય રીતે થવા દો, તો થાય છે.!
જો કે ન થવા દો તો પણ થાય જ છે મગર લાંબા સમયે થાય છે.! અગર મનથી યાદો તાજી રાખીએ તો તન પણ એવીજ તાજગી અનુભવે છે જેવી પહેલા અનુભવેલી હોય.....
આ અનુભૂતિ વધતી ઉમરને તો નથી જ અટકાવી શકતી મગર ઉમરની અસર ને ચોક્કસ અટકાવી શકે છે.!
મગર ભીતર બધુજ એમનેમ હેમખેમ હોય છે, હોય શકે છે.! હોવુ જોઈએ
પણ ભીતર એમનેમ હેમખેમ રાખવું એ પાછુ ઈચ્છા ને આધીન છે.!
ઈચ્છા દ્રઢ હોય તો ઈચ્છા મુજબ મળે છે.!
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.!
અર્થાત્
ઈચ્છા જો દ્રઢ હોય તો શરીર યુવાન રહે છે.!
વર્ના આ શરીર તો ઉમર પ્રમાણે વર્તે છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
મનમાં યુવાની ની યાદો તાજી હોય તો,
શરીર પણ "અનંત" તાજગી અનુભવે છે.!
"અનંત"

No comments:
Post a Comment