આવુજ કાં'ક અનંતે અલગ અર્થ અને અંદાજમા કહ્યું હતું કે,સમય જતાં ઉમર નો પ્રભાવ શરીર પર પડે છે.! સેક્સ પર પડે મગર "અનંત" અનંત પ્રેમ પર ઉંમરનો પ્રભાવ ક્યારેય પડતો નથી.!
શરીર જન્મે છે માત્ર સ્ત્રી જેવા જે બાળકી માંથી, કીશોરી થાય છે, યુવતી થાય છે, મગર સ્ત્રી નથી થતી..!
"અનંત" આ પૃથ્વી પરથી ક્રમશઃ યાની ધીરે ધીરે સ્ત્રી લુપ્ત થઈ રહી છે.
"અનંત"
. . તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન ચોળાયેલી તારી પથારીમાં તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે. આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે. તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે. હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું. તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું અને મારા બંને હાથથી તારા સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું. . . તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું. શબ્દ અને મૌન એક થઇ જાય છે એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી. તું જાગે એ પહેલા એને ફરી પાછું એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે જાણે કે કશું જ નથી બન્યું એમ. પહેલાની જેમ, તું સૂતો જ રહે છે હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.
અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…
કે નીજ સ્વાર્થે બીજાને કોઈ પણ પ્રકારની તકલીફ આપશો તો ચોક્કસ ભોગવવીજ પડશે.!
એજ રીતે નીશ્વાર્થ પણે કોઈનુ પણ ભલુ કર્યુ હશે તો એનો સુંદર બદલો પણ ચોક્કસ મળશે જ.!
યાદ રાખજો આ હકીકત જીવનમાં પારકા કરતા કહેવાતા પોતાનાઓ દ્વારા થયેલા સારા માઠા
"અનંત" અનુભવો થી સીધ્ધ થયેલ છે.!
"અનંત"
વર્ષો પહેલાં સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંતે અઢળક અનુભવના આધારે કહ્યું હતું કે,
*"अनंत" कर्म ही धर्म कर्म ही पूजा।*
*"अनंत" कर्म से वडा कोई न दुजा।*
*"अनंत"*
https://youtu.be/D8KmEW-DRak?si=3m53czPI_MweSDam
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં ચાયની ચુસ્કી ભરતા
અજ્ઞાની એ કહ્યું
કર્મ કુતરા જેવુ હોય છે..!
મે પુછ્યું અર્થાત્..?
ત્યારે સ્પષ્ટતા કરતા અજ્ઞાનીએ કહ્યું કે,
કુતરા જેવુ અર્થાત્
કર્મ કુતરા જેવી તાસીર ધરાવે છે.!
તે તેના માલીક યા માલ્કીન ને આ પ્રુથ્વી પર તો શું.!
કર્મના સિદ્ધાંતનો ઉપદેશ આપણા દેશના જનમાનસમાં મજબૂતીથી જડાઈ ગયેલ તો છે જ પરંતુ આજે વિદેશોમાં પણ એટલોજ પ્રચલિત છે. ગઈ કાલે એક મિત્ર જોડે આ વિષય પર ચર્ચા જામી. એમણે કહ્યું કે તેઓ કર્મના સિદ્ધાંતમાં દ્રઢ રીતે માને છે અને એને માટે પુરાવા પણ આપી શકે છે. કહે કે એમના વતનમાં કોઈક ભ્રષ્ટ રાજકારણી/વેપારી છે જેણે વર્ષોથી અવળા માર્ગે ધન મેળવ્યું છે. કેટલાય ગરીબોની મિલકત પચાવી પાડી છે અને ખેડૂતોને પૈસા ધીરી એમની જમીન છીનવી લીધી છે. આખું જીવન મોજ-મઝા અને અહંકાર સાથે વ્યતીત કર્યું છે. જીવનની ઢળતી સંધ્યાએ એમની પત્નીને કેન્સરનો અસાધ્ય રોગ લાગ્યો છે અને વિશ્વનો કોઈ ડોક્ટર એને બચાવી શકે એમ નથી. હવે તે પણ માનતા થઇ ગયા છે કે પોતાના કર્મોનો બદલો અહી જ મળી જાય છે.
ઉપર અપાયેલ ઉદાહરણ જેવા અસંખ્ય ઉદાહરણો આપણા જોવા-જાણવામાં આવતા જ હોય છે. અને કોઈ અને કોઈ રીતે એમને માનવીના કર્મ સાથે સાંકળી લેવામાં આવે છે. મેં મારા મિત્રને કહ્યું કે "એ ભ્રષ્ટ રાજકારણીના દુષ્કર્મોનું ફળ જો એમને પોતાને કોઈ અસાધ્ય રોગ દ્વારા મળ્યું હોત તો મારા માનવામાં આવ્યું હોત. પરંતુ અહી તો એમની પત્નીને 'પાડાને વાંકે પખાલીને ડામ' જેવું સહેવાનું આવ્યું છે. જેણે દુષ્કર્મો કર્યા નથી, એ દુ:ખ સહે છે જ્યારે દુષ્કર્મ કરનાર તો મોજ થી હરે-ફરે છે. આપનું ઉદાહરણ તો આપના જ મતથી વિપરીત છે!"
મારા નોંધવા મુજબ મોટા ભાગના દુષ્કર્મ કરનારાઓ સુખી-સ્વસ્થ જીવન જીવી જતા હોય છે તો સામે છેડે સીધા-સાદા લોકો રીબાઈ રીબાઈને જીવે છે અને મરે છે. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી કર્મનો સિધ્ધાંત એક થીયરી તરીકે મને માનવો બહુ જ ગમે પરંતુ જીવનમાં આસપાસ બનતા બનાવો મને એમાં ન માનવા પ્રેરે છે.
મિત્રો, 'કર્મ'નો સિધ્ધાંત ભલે અતિ ગહન અને પેચીદો હશે, પરંતુ આપ સૌનો મત જાણવું ગમશે!
આ "અનંત" બ્રહ્માંડમાં અન્યને દોષ આપતા તમામ લોકો પોતપોતાની ભુલોની જ સજા ભોગવતા હોય છે.
અગર અન્ય ભુલ કરે છે અને, તમને સજા મળે છે તો પણ.!"અજ્ઞાની" આખરે એ પણ તમારીજ કોઈ પુર્વની ભુલોના કારણેજ ભુલ કરે છે, જેની સજા તમને મળે છે.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
હીશાબ માં ન હોય તો તમે ઈચ્છો કે માંગો તો પણ કોઈ હિશાબે નજ મળે.!
અને હિશાબ માં હોય તો માંગ્યા વગર
ઈચ્છા ન હોય તો પણ મળેજ.!
પછી ચાહે તે સારા કર્મોની મજા હોય કે, ખરાબ કર્મોની સજા હોય.
"અજ્ઞાની"
આગળ
ભાઈબંધો હંમેશા સહજ સ્વિકાર સાથે કહેતા હતા કે,
અહીં અમારો એવુ સાબિત કરવા નો હરગિઝ પ્રયાસ નથી કે અમે નખશિખ સાચા કે સારા છીએ, અમારાથી પણ ભુલો થયજ હોય અને એના માઠા પરિણામો અમારે પણ ભોગવવા પડ્યાજ હોય. અને ઘણી વાર તો ઘણા લોકો ને અન્ય ની ભુલો ના માઠા પરીણામ પણ ભોગવવા પડતાં હોય છે. જીવનમાં જાણે અજાણે સૌ કોઈ થી ભુલ થતી હોય છે. સૌ કોઈ ભુલ કરતુજ હોય છે. મગર સમજદાર વ્યક્તિને જ્યારે સમજાય જાય કે જે થઈ કે કરી તે તેની ભુલ હતી, તો તે સહજ સ્વિકારે છે, અને જેવી થઈ ગઈ એવી ભુલ જીવનમાં ફરી ભુલમા પણ ન થાય એની એ સમજદાર વ્યક્તિ ખૂબજ કાળજી રાખે છે.
અજાણે ભુલ થવી એ એક વાત છે.
અને નીજ સ્વાર્થે માત્ર ને માત્ર પોતાનાજ ફાયદા માટે કોઈને છેતરવા, જાણી જોઈને પોતાને લાભ થતો હોય તો બીજાની લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવું. પોતાનો સ્વાર્થ સધાતો હોય એટલે ભુલ કરનાર ને રોકાવાને બદલે તેને સહકાર આપવો સત્ય ન બોલવું, સતત જુઠનો આસરો લઈ જુઠ બોલવું, અને બધુજ જાણવા છતાં.! માત્ર પોતાના ફાયદા માટે હકીકતો છુપાવવી એ અલગ વાત છે.
જો કે કર્મ ના હિશાબ મુજબ તો જાણે કે અજાણે થયેલ કે કરેલ કોઈજ ભૂલ માફ નથી થતી.એ સત્ય સમજવા, રામાયણ નુ શ્રવણ અને દશરથ નુ દ્રષ્ટાંત કાફી છે.! દશરથે હરણ સમજી તીર છોડેલું અને અજાણતા એ તીરે શ્રવણની છાતી ચીરી નાખી હતી. અને હરણને બદલે ભુલથી શ્રવણ ગુજરી ગયો હતો. તેથી શ્રવણ ના માતા પીતા, પુત્ર વીયોગે તડપી તડપીને મરી ગયા. જો કે પોતાનાથી અજાણતા થયેલ ભુલ બદલ દશરથે શ્રવણ ના અંધા મા બાપની કરગરીને ખૂબ માફી માંગી હતી.
પરંતુ તેમ છતાં કર્મ ના સીધ્ધાંત મુજબ રામને વનવાસ મળ્યો અને અજાણતા ભુલ કરી હોવા છતાં તેને ઈશ્વર તરફથી પણ માફી ન મળી અને આખરે શ્રવણ ના માતા પિતા ની માફકજ દશરથ પણ પુત્ર વીયોગેજ મરણને શરણ થયો...
જો કે ખૂબ ઉંડાણમાં ઉતરીને વિચારો તો ચમકારો થાય કે, દશરથ નો ઈરાદો તો શીકાર કરવાનો હતોજ પછી તે નીર્દોશ હરણ હોય તોય શું.!? આખરે પોતાના શોખ માટે પણ દશરથનો ઈરાદો તો હરણની હત્યાનોજ હતો ...
માટે પણ એ માફી ને પાત્ર ન ઠર્યો અને મર્યો...
પાપ કે પુણ્ય ના ભાગીદાર કેમ થવાય છે તે સમજવા થોડા દ્રષ્ટાંત આ મુજબ છે.
(1)જેમ ચોર ને મદદ કરનાર પણ ચોરજ ગણાય કારણ કે "લાલો લાભ વગર ન લોટે" એ ઉક્તિ મુજબ લાભ વગર કોઈ મદદ ના કરે, ચોરી ભલે બીજાએ કરી પણ એમાં થોડો ભાગ મળવાની લાલચ સાથે તેણે ચોરને મદદ કરી છે માટે એ પણ ચોર જ ગણાય....
(2) તમે કેટલા સાત્ત્વિક અને ચોખ્ખા છો તે જાતે તમારી વર્કતુણાંક પરથી સમજવા ચાહો તો સમજી શકો છો. એક એવો સબંધ જે તમારાથી નજીકનો છે, અને એ કારણે એના તરફથી તમને માન સન્માન તેમજ તેમની સાથે તેમના ખર્ચે મોજ મજા કરવા ઉપરાંત આર્થિક લાભ મળતો હોય ત્યારે, એ કારણે તમે સતત તેના સંપર્કમાં રહેતા હોવ અને વગર કારણે પણ દિવસમાં દસ વાર ફોન કરી કરીને તેના ખબર અંતર પુછો છો, એ પણ મીસ કોલ કરીને એમનાજ ખર્ચે.!
અને એ ફોન દરમિયાન મોટાભાગે કુટુંબમાં દખલગીરી કરો છો. અને તમારી આવી તમામ હરકતો ને કારણે તમારા એ નજીકના સબંધીના અન્ય તમારાથી પણ વધુ નજીક ના સબંધો વણસી રહ્યાં હોય, અને તમારી સાથે વધુ સારો અને તમારાથી એની વધુ જે નજીકના છે તેની સાથે ખરાબ વ્યવહાર થાય છે ત્યારે તેઓની આંતરડી ખૂબ કકડે છે.! બસ આ કારણે તમે પાપમાં ભાગીદારી નોંધાવો છો અને પાપના ભાગીદાર બનો છો. હવે કાળ કર્મે તમે જેના સબંધે માન સન્માન સહાય બધુજ મેળવતા હતાં તેની સ્થિત તમામ રીતે પલટાઈ જાય છે. માનસિક આર્થિક કે શારીરિક રીતે, પછી ત્યાંથી તમને પહેલા મળતું એ બધુ મળવાનું બંધ થાય છે. અને તમે પણ જાણો છો કે મળવાનું હતું તે પહેલાં યેનકેન પ્રકારે તમને ઘણુ મળી ચુક્યું છે. અને હવે કૈ મળવાનું નથી. અને તેમ છતાં તમારો વ્યવહાર જો પહેલા જેવોજ હોય જેમ પહેલાં દિવસમાં દસ વાર ફોન કરીને ખબર અંતર પુછતા એમ પુછો તો એવુ સાબિત થાય કે સાચેજ તમે પહેલા પણ પરીવારમાં વીખવાદ કે ખણખોદ કરવા નહીં બલ્કે ખબર અંતર પૂછવાજ ફોન કરતાં હતાં. મગર કાળ કર્મે તમે જેના સબંધે માન સન્માન મોજમજા સીવાય અન્ય છુપી સહાય બધુજ મેળવતા હતાં તેની સ્થિત તમામ રીતે પલટાઈ જાય છે. માનસિક આર્થિક કે શારીરિક રીતે, પછી ત્યાંથી તમને પહેલા મળતું એ બધુ મળવાનું બંધ થાય છે. અને તમે પણ જાણો છો કે મળવાનું હતું તે પહેલાં યેનકેન પ્રકારે તમને ઘણુ મળી ચુક્યું છે. અને હવે કૈ મળવાનું નથી. અને એ કારણે તમે ખરેખર જ્યારે એને કોઈ વાતચીત કરે એવી વ્યક્તિની જરૂર છે. કારણ કે હવે તે બીમાર છે લાચાર છે. એ હકીકત જાણવા છતાં તમે તેને ફોન નથી કરતાં ખબર અંતર નથી પુછતાં તો સ્પષ્ટ થઈ જાય છે પહેલા કહ્યું એ તમામ વાત મુજબ તમે માત્ર તમારા લોભ, લાભ, અને લાલચને કારણે સબંધ નીભાવી રહ્યા હતા...
આ રીતે તમે પાપ ના ભાગીદાર બનો છો.!
(3) એક વધુ દ્રશ્ટાંત જોઈએ ત્રણ વ્યક્તિ છે. એમાંથી બે વ્યક્તિ સંજોગે પરસ્પર વિરોધી છે અને એક મધ્યથી છે. આમ સબંધ ત્રણેરના નજીક નજીકના છે. ત્રણમાંથી એક પીડીત છે.
એક પીડા આપનાર છે. અને એક મધ્યસ્થી છે.
જે બધુ જુવે જાણે છે. પરંતુ તેમ છતાં પીડીત વ્યક્તિ કરતાં પીડા આપનાર વ્યક્તિ સાથે તેના સબંધ વધુ ધનીષ્ઠ છે. કારણ કે એના તરફથી તેને માન સન્માન એના ખર્ચે મોજમજા અને બીજા પણ અનેક છુપા આર્થિક લાભ મળે છે. અને તે એ પણ જાણે છે કે, પહેલી વ્યક્તિ તેના વાણી વર્તન વ્યવહારથી પીડાય છે. તેમ છતાં તે બાબતે વચલી મધ્યસ્થી વ્યક્તિ ત્રજી વ્યક્તિને ક્યારેય રોકતી ટોકતી નથી. એ મધ્યસ્થી વ્યક્તિ પોતાના લોભ લાભ અને લાલચને કારણે એ પીડા આપનારને ક્યારેય એમ નથી કહેતી કે તમારો વહેવાર ગલત છે. અને તમારા ગલત વાણી વર્તન અને વ્યવહારને કારણે એક વ્યક્તિ ખૂબ પીડાય છે.
ખૈર...
આટલું ચલાવી લઈએ પણ જ્યારે પીડિત વ્યક્તિ મધ્યસ્થી વ્યક્તિને વારંવાર પોતાની સાથે પીડા આપનાર દ્વારા થતા અન્યાય બાબતે વાત કરે છે. અને કરગરીને ફરિયાદ કરતા એવુ કહે છે કે તમે અમારાથી વધુ નજીક છો (જ્યારે કે ખરેખર નજીક તો પીડીત છે) તમે એને કાંઈક સમજાવો.! હું એમ નથી કહેતો કે એ તમને છોડે તમને માન સન્માન ન આપે તમને મોજ મજા ન કરાવે મગર હું એટલુજ ઈચ્છું કે અમને પણ તમામ રીતે સાથે રાખે.! તમને જે માનસન્માન મોજ મજા મળે છે, એના ખરા હકદાર અમે છીએ તો અમને પણ માનસન્માન આપે, અમારી સાથે કોઈપણ રીતે અન્યાય ન કરે.! અને તમે નજીક છો તેથી તમે આ સારી રીતે સમજાવી શકો છો જ્યારે પીડિત વ્યક્તિ, મધ્યસ્થીને આ રીતે વીનવણી કરે છે, ત્યારે મધ્યસ્થી વ્યક્તિ પીડીત વ્યક્તિ ને એટલુજ કહે છે કે મારી કહેવાની એક મર્યાદા હોય, હું તું કહે એ ન કહી શકું.
આ સાંભળી પેલી પીડિત વ્યક્તિની પીડામા કારમો વધારો થયો છે. આમ એ મધ્યસ્થી વ્યક્તિ પણ પાપ કર્મનાં ભાગીદાર થાય છે.
એ મધ્યસ્થી વ્યક્તિ પીડિત વ્યક્તિની પીડા અને તેની પીડાનુ ખરૂ કારણ સારી રીતે જાણતીજ હોય, મગર તેમ છતાં માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ ખાતર તેને પીડીત વ્યક્તિ દ્વારા માંગવા છતાં મદદ નથી કરતી. કારણ કે, એ એમ વિચારે છે કે પીડા આપનાર વ્યક્તિનો તેની પોતાની સાથે તો ખૂબજ સારો વ્યવહાર છે ને , અને મને તો ખૂબ માન સન્માન આપે છે, છુપા લાભાલાભ સીવાય પણ ગાંઠના ખર્ચ મોજમજા કરાવે છે. તો પીડીત વ્યક્તિનો પક્ષ લઈ મારે શા માટે મને મળતા એ તમામ લાભો જતાં કરવા, આવા નીમ્ન કક્ષાના સ્વાર્થ ખાતર પોતાના લોભ, લાભ અને લાલચુ વૃત્તિ ના કારણે તે મધ્યસ્થી વ્યક્તિ પીડિત વ્યક્તિને જાણીજોઈને ખૂબજ અન્યાય કરે છે.!
ખરેખર અગર જો મધ્યસ્થી વ્યક્તિની વૃત્તિ ધાર્યા મુજબની નથી તો મધ્યસ્થી વ્યક્તિ સૌથી પહેલાં એ વીચારે કે મારા કારણે કોઈ અન્ય સાથે અન્યાય તો નથી થતો ને.! મને માનસન્માન આપનાર વ્યક્તિ બીજા કોઈનું અપમાન તો નથી કરતીને.! મને મોજમજા કરાવનાર અન્યને સજા તો નથી કરતી ને અગર જો એ વ્યક્તિ એવુ કરે છે તો ખૂબજ ખોટુ કરે છે, તેથી યા તો એણે બંને સાથે સરખો વહેવાર રાખવો જોઈએ એવા આગ્રહ સાથે પીડીત વ્યક્તિની પીડા સાંભળી તેને થતાં અન્યાય સામે પોતાના તમામ લોભ, લાભ અને લાલચ છોડી અવાજ ઉઠાવી પીડા આપનારનુ સાચુ માર્ગદર્શન કરવુ જોઈએ, અને એમ કરવા જતાં પેલી વ્યક્તિ સત્ય ન સ્વીકારે અને તેનો અહં ઘવાય અને સબંધ સીમીત કરી નાખે તો ભલે કરે એવી તૈયારી રાખી હોય તો એ પુણ્યના ભાગીદાર થયા ગણાય...
(4) એક સબંધી પૈસા સાચવવા તેના સંબંધીના ઘેર પૈસા મુકવા જાય છે.
અગર એ સબંધી પૈસા બાબતે જાણે છે તો ઠીક છે અન્યથા એણે પહેલા તપાસ કરવી જોઈએ કે, આ પૈસા ક્યાંથી આવ્યા અને મારી પાસે મુકવાનું કારણ શું.? અગર એ આ માહિતી મેળવ્યા વીનાજ પૈસા સાચવી લે અને બની શકે તે પૈસા ચોરીના હોય તો જ્યારે તે પૈસાનો ભેદ ખૂલે કે એ તો ચોરીના પૈસા હતા તો ચોરીના પૈસા આપનાર સાથે એ પૈસા રાખનાર યા સાચવનાર પણ ચોર ગણાય જાય...
અને એ કારણે આગળ જતાં તો બીજી ઘણી સમસ્યા ઊદભવે, ચોરે પાંચ લાખ ચોર્ય હોય, અને ભેદ ખુલે ત્યારે શર્મે ધર્મે પાંચ લાખ પરત પણ આપી દે પણ જેના ચોરાયા હોય એ એમ કહે કે પંદર લાખ ચોરાયા છે તો બીજા ક્યાં.?
હવે ચોરી કરનારા એમ કહે કે પાંચ લાખનીજ ચોરી કરી હતી તો એનો મતલબ એવો પણ થાય કે ચોરી કરનાર તો ખોટુ બોલેજ છે, પણ સાચવનાર પણ હકીકત છુપાવે છે. પાંચ લાખ આપી દિધા પણ બાકીના દસ લાખ તે પચાવી ગયો.. આમ ચોરી છુપી ના પૈસા રાખનાર પણ ચોર ને મદદ કરનાર હોવાથી પણ ચોર જ ગણાય...
(5) આવી જ એક વરવી ઘટનાને દ્રષ્ટાંત રૂપે જોઈએ સમજીએ..
એક વ્યક્તિ તેના પરીવારથી છુપાવી આઠ લાખ રૂપિયા તેના સંબંધીના ઘરે મુકી આવે છે. (એ ભુલી જાય છે કે આ બ્રહ્માંડ માં સાચુ ખોટુ સારૂ ખરાબ પાપ પુણ્ય લાંબો સમય કૈંજ છુપાવી નથી શકાતું સમય સમય પર સમયસર તમામ ભેદ ખુલી જતાં હોય છે. આ સીસીટીવી કેમેરા તો હવે હવે આવ્યા જો કે તો પણ હજુ બે શરમ લોકો ચોરી કરતા ડરતા નથી,એ વાત નોખી છે, બાકી સમજુ અને ઈશ્વરને માનતા, જાણતા, સમજતા લોકો જાણે છે કે ઈશ્વરની આંખોના વીશાળ રેન્જ ધરાવતા કેમેરા આ બ્રહ્માંડમાં ચો તરફ ગોઠવાયેલા છે.)
હાં તો એ બે વ્યક્તિ પોતાના પરિવારથી છુપાઈને રૂ આઠ લાખ મરણ મુળીના બહાને તેના નજીકના સંબંધીના ઘરે મુકી આવે છે.
કાળ ક્રમે ઉપર જણાવ્યું એમ આખરે ભેદ ખુલી જાય છે. પરીવારના બાકીના સભ્ય ને જાણ થાય છે. વાત થાય છે અને એ સબંધીએ, અમને માત્ર સાચવવા આપ્યા હતાં એવો થોડો પોતાનો લુલો બચાવ કરી તુરંત એ રકમ પરીવારને આપવા તૈયાર થૈ જાય છે. અને આપે પણ છે.
મગર ત્યારે એક વધુ ભયંકર ભેદ ખૂલે છે કે, પેલી બે વ્યક્તિએ છુપાઈને સંબંધીને આપેલા એ પૈસા એજ બે નજીકની વ્યક્તિના નામે મુક્યા હતા.
હવે અહીં એ સબંધી વ્યક્તિની ઈમાનદારી પર ચોક્કસ શક સાથે સવાલ ઊઠેજ..!
કે, અગર જો એ એમ કહે છે કે સાચવવા આપ્યા હતાં તો એ તો જેણે આપ્યા તેના નામે રાખીને પણ સાચવી શકાય ને.? અને ખરા અર્થમાં એનેજ સાચવ્યા કહેવાય. આ તો નામે કર્યા કહેવાય ને.? હવે આમાં ઉપર જણાવ્યું એમ એ સાચવનાર વ્યક્તિ એવી શંકાના દાયરામાં આવે અને પરીવાર નો કોઈ સભ્ય શંકા સાથે એવો સવાલ કરી શકે કે તમે જ્યારે પૈસા તમારા નામે રાખ્યા છે તો અમારે એમ કેમ માની લેવુ કે આઠ લાખજ હતાં..?
અઠયાવીસ પણ હોય શકે છે..?
નામ તમારૂ હોય તો તમે ચાહે એટલા બતાવી શકો અથવા શંકા ગઇ અને જેટલી રકમનો ઊલ્લેખ થયો એટલી રકમ રજુ કરી દિધી બાકિના વીષે એ જાણતા નથી તો તમે જાણી જોઈને જણાવતા નથી..!
માની લઈએ કે એ મહેઝ એક શંકા છે, તો આવી શંકા કરવાનું કારણ પણ એણે જાતેજ પુરૂ પાડ્યું કહેવાય ને.? પરીવારથી છુપાઈને અર્થાત્ ચોરીને રાખવા આપેલા પૈસા પોતાના નામે રાખીને જાતેજ શંકાના દાયરામાં આવી ગયાં.!
ઉપરોક્ત કોઈજ પ્રકારની શંકા ન જાય, જો તેઓએ સમદર્શિતા સમજણ અને સ્પષ્ટતા સાથે વ્યવહાર કર્યો હોય તો તમામ રીતે બચી જાય.
કરવુ એમ જોઈએ કે અગર પરીવારથી છુપાઈને અને તેમના પર ભરોસો હોય કોઈ તેમની પાસે આવી છુપાઈને લાવેલી મોટી રકમ મુકવા આવે તો પણ એ પરીવારની તમામ હકીકતો જાણતા હોય, પહેલાં ભલે નીજ સ્વાર્થે નીજ લોભ, લાભ અને લાલચને કારણે ક્યારેય કશું બોલ્યા ન હોય પરંતુ જે હકીકત છે તે જાણતા હોય તો હોયજ તો એ મુજબ પ્રથમ છુપાઈને પોતાની પાસે પૈસા મુકવા આવનારને, એણે એ સમજાવવુ જોઈએ કે આજ સુધી કમાણીની તમામ રકમ તમારા સંતાનોએ હંમેશા તમને સોંપી છે. પહેલા નવા ઘરમાં તમારા પગલાં કરાવ્યા છે. ખોટુ થતાં લડ્યા ઝગડ્યા જરૂર છે મગર તેમ છતાં હિશાબમા એક પાયની પણ ગરબડ નથી કરી કટકી નથી કરી તમે એમની સાથે ભારોભાર હાડોહાડ અન્યાય કરતા હોવા છતાં તમારા તમામ ખર્ચ ઉપરાંત તમારી ખોટી ડીમાન્ડ પણ પુરી કરી છે. જેનો હું મુક શાક્ષી છું.
અગર જો તમારૂ મન સાફ છે.!
હાલમાં કે ભવિષ્યમાં પણ કોઈ લાભ, લોભ, કે પોતાને ફાયદો થશે એવી કોઈજ લાલચ ન હોય તો પરીવારની તમામ હકીકતો જાણતા હોય,એ હિસાબે એ નાદાનોને આટલું તો ચોક્કસ કહેવુંજ જોઈએ કે તમે આ બિલકુલ ઠીક નથી કરતા બલ્કે ખૂબજ ગલત કરો છો. આમ સમજાવ્યા છતાં એ ના સમજો ના સમજે અને આગ્રહ રાખે તો ચોક્કસ સબંધ દાવે પૈસા રાખવા પડે પણ..! પોતાના નામે નહીં જે મુકવા આવ્યા એનાજ નામે..! અહીં તેનો આગ્રહ દુરાગ્રહ કૈંજ ચલાવી ન લેવાય..! કારણ કે એ આગળ જતાં તમારા માટે જોખમી પુરવાર થઈ જવાની પુરેપુરી શક્યતા છે એવુ જાતે સમજવું જોઈએ...
અને કહેવુ જોઈએ કે તમારી મરણ મુડી અમે ચોક્કસ સાચવીશું પણ તમારાજ નામે અમારા નામે તો હરગિઝ નહીંજ..!
એ લોકો તમારી વાત ન માને તો એમની મુડી પાસે રાખવાની બીલકુલ અને ચોખ્ખી નાજ પાડી દેવાય... સંબંધના જોખમે પણ..!
કારણ કે પોતાના સાફ ચરીત્ર નો પોતાની ચોખી ઈમાનદારી નો સવાલ હોય ઉપરાંત ભેદ ખૂલ્યો તો ભેરવાઈ જવાશે એવો સાત્વિક ડર પણ હોય અને હોવોજ જોઈએ.!
બાકી થશે તંયે જોયું જશે એ વિચાર સરણી આજીવન બેચેની અને તકલીફ આપતી હોય છે.
ખૈર...
આમ પછી વધુ રકમ ન રાખી હોય તો પણ આજીવન શંકાના દાયરામાં આવી ગયાનો
અફસોસ ચૈનથી જીવવા ન દે એ થોડા લાભ કરતાં મોટુ નુકશાન...
અગર એવુ નથી કર્યું તો આવુ ભોગવુ ન પડે અને એવુ કર્યુ છે તો આથી પણ વધુ ભોગવવુ પડી શકે છે.
ભાઈબંધ કહેતો કે, આ જીવનનો અને કર્મનો
સીધ્ધાંત એવો છે કે આપો એથી અધીક મળે.
એ ન્યાયે હવે શું મેળવું છે એ વીચારીને આપવુ પડે.!
અને શું મળ્યું છે એના પરથી નક્કી થઈ જાય છે કે શું આપ્યું હતું.
કોઈને સુખ આપો યા દુ:ખ આનંદ આપો ચાહે પીડા જે આપવું હોય તે આપો મરજી તમારી છે.
યાદ એટલુંજ રાખજો "અજ્ઞાની" કે જે પણ આપશો વધીને પરત મળશે.!
જેમ બેંકમાં મુકેલી થાપણ.!
વર્ષો પહેલાં ભાઈબંધે પણ લખ્યું છે કે,
"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં થાય.
હિશાબ છે હિશાબમાં બાદ નહીં થાય..
ખૈર....
લોકો સ્વાર્થમાં પોતાની ભુલો ઢાંકવા હમેશાં અર્ધ સત્ય બોલે છે .!
જ્યારે અમારો ભાવ એવં સ્વભાવ એવો છે કે બને ત્યાં સુધી પુર્ણ જાણવું અને જણાવવું.
સત્ય ના મારગે ચાલવું અને કોઈ અવળે માર્ગે ચડેલું હોય તેને પુર્ણ ઈમાનદારી સાથે સાચો મારગ બતાવવો.
એકલાથી ન સમજે તો કોઈ એકાદ સાચે મારગે ચાલનાર વ્યક્તિને સાથે રાખીને એ ભુલેલા ભટકેલા વર્ષોથી અવળે માર્ગે ચડેલા ને સાચો મારગ બતાવવો.
અવળે મારગે ચડેલા અર્થાત્
*કોઈ ગેર સમજ ના થાય માટે આ વાક્ય નુ અર્થ ઘટન કરૂ છું* કે,
માત્ર ને માત્ર નીજ સ્વાર્થે જીવનમાં વારંવાર જુઠનો સહારો જે લેતા હોય, પુર્ણ સત્ય જે બોલતા ન હોય, પોતાના તરફના જુઠ વીષે તો એક હરફ પણ ઉચ્ચારતા ના હોય એવા લોકો જેને વર્ષો ના અનુભવ બાદ પણ એટલી અકક્લ ન આવી હોય કે, ચાહે ગમે તેટલા પ્રપંચ કરો પ્રયાસ કરો તો પણ..! સારૂ શું હતું, ખરાબ શું છે.! ખોટું શું હતું, સાચુ શું છે..! છુપાવેલું શું હતું, ખુલ્લુ કેટલુ છે.?
આ તમામ છુપાવવાના લાખ પ્રયત્નો પછી પણ સારૂ ખરાબ, સાચુ ખોટુ, છુપાવેલું કે ખુલ્લુ.
બધુજ સમય સમય પર સમયસર જાહેર થય જ જતું હોય છે.!
અર્થાત્ ખુલ્લુ થયજ જતુ હોય છે.
વર્ષોના અનુભવ બાદ પણ જે પોતાની ભુલો છુપાવતા હોય, એવં છુપાઈ ને છુપો વહેવાર કરતા હોય એને પણ.!
*અવળે મારગે ચડેલા* જ ગણાય...
અર્થઘટન પુરૂ.
કોઈ પણ ના સમજાવ્યે આવા વીચીત્ર લોકો સુધરી સમજી જશે એ નક્કી નથી જ હોતું. સાચો મારગ બતાવ્યા પછી પણ એ લોકો બતાવેલા સત્ય ના માર્ગે ચાલશેજ એવી પણ કોઈ ગેરંટી નથી હોતી, કે અમારા સમજાવવાથી એ પાપીઓ લોકો સમજી જશે સુધરી જશે..!
મગર તેમ છતાં એમના અને સૌના કલ્યાણ માટે પણ.! મારગ ભુલેલાને સાચો અને સારો મારગ બતાવવાનો પુરૂષાર્થ કરવો એ પુણ્ય કાર્ય ગણાય. કોઈ એકાદ એવી સાચી વ્યક્તિ ને સાથે રાખીને કે, જેને પણ જીવનમાં ભુતકાળમાં અનેક ભુલો કરી હોય, જેના કારણે પોતાને અને અન્યને પણ.! ત્યારે યા બાદમાં ખૂબજ તકલીફ પડી હોય, એવી વ્યક્તિ જેને પોતાની ભુલોને કારણે સમય જતાં સારા માઠા અનુભવ થતાં, અને પોતે કરેલી ભુલો ને કારણે તેમણે ખુદે એવં તેના કારણે અન્ય એ પણ સારા માઠા પરિણામો ભોગવ્યા છે. એ હકીકત જાણ્યા પછી, સમજણ આવી હોય અને એ સમજણ આવ્યા બાદ જેણે પોતાની ભુલો સ્વિકારી હોય, એવી એકાદ વ્યક્તિને સાથે રાખીને, હજુ પણ અનંત અનુભવ બાદ પણ જે સુધરતા સમજતા નથી.!
એ હકીકત જાણવા છતાં
એવા લોકોને સુધારવા સમજાવવા નો નૈતિક પ્રયાસ તો ચોક્કસ કરવો જ જોઈએ.
એ સુધરીજ જશે એવી કોઈ ગેરંટી ન હોવા છતાં.! અને આવે સમયે પોતે કરેલી ભુલો અને એ ભુલોને કારણે ભોગવેલા પરીણામો માંથી શીખેલી સમજેલી અનુભવી વ્યક્તિ સાથે હોય તો તે એક ભુલેલા ભટકેલા અવળે માર્ગે ચડેલા ને વધુ સારી રીતે સમજાવી શકે.!
આવી તમામ મસક્ત કરવાનો આશય માત્ર એટલોજ હોય છે કે તેમનુ અને બાકીના સૌનુ જીવન તન અને મનની તંદુરસ્તી સાથે પ્રેમ લાગણી અને આનંદથી પસાર થાય...
એમનું પણ કલ્યાણ થાય અને એની સાથે બાકીના સૌનુ પણ કલ્યાણ થાય...
ખૈર...
ભુલો તો જીવનમાં ક્યારેક ને ક્યારેક હર કોઈ કરેજ છે યા થઈ જાય છે. મગર સમજદાર ને એ સમજાય કે, ભુતકાળમાં ઘણી ભુલો થઈ હતી તો તે સહજ સ્વીકારે છે અને સુધારે પણ છે. જ્યારે અણ સમજુ લોકો પોતે ભુતકાળમાં ઘણી ભુલો કરી છે. અને આખરે કોઈ ને કોઈ કાળે કોઈને કોઈ કારણે એનુ જુઠ એની ભુલો ઉઘાડી પડીજ ગઈ છે એ જાણવા છતાં પણ તેઓ સ્વીકારતા તો નથીજ બલ્કે અગાઉ કરેલી ભુલો પર પરદો નાખવા વધુને વધુ જુઠનો સહારો લેતા રહે છે. આમ ફરી એ પહેલાં કરતાં વધુ અઘરી ભુલો કરે છે અને એવીને એવી ભુલો આ જીવન દોહરાવ્યે રાખે છે. યા તો પહેલા કરી હોય એ ભુલો છુપાવવા પહેલાથી પણ વધુ જુઠ બોલે છે અને પહેલા કરતા પણ મોટી ભુલો કરે છે.
આવા લોકો અણ સમજુ હોય તો માફી ને પાત્ર છે મગર ચાલાકી અને ચતુરાઈ સાથે જુઠ બોલે એને ઈશ્વર પણ કદાચ માફ ન કરે દશરથ ની માફક.! *કર્મ ને આધીન* પરીવાર ની એકાદ મારગ ભુલેલી વ્યક્તિ ને સાચો અને સારો મારગ બતાવવાનો પ્રયાસ કરવો એ આપણા સૌની સહીયારી જવાબદારી છે.! આપણું કાર્ય અંત સુધી ઈમાનદારી પુર્વક પ્રયાસ કરવાનું છે બસ્સ ! પરીણામ શું આવશે..? સારૂ આવશે..? કે ખરાબ.? આવી તમામ ફીકર ઈશ્વર પર છોડી, કર્મ ને આધીન કર્મ કરવુ એજ આપણા હાથમાં છે.! છેવટે કશુંજ હાંસીલ નહીં થાય તો પણ એટલો આત્મ સંતોષ ચોક્કસ મળશેજ કે મેં સૌના ભલા માટે સૌના કલ્યાણ માટે સાચી દિશામાં સારો પ્રયાસ તો કર્યો.!
પરીણામ ધાર્યું ન આવ્યું તો કૈ વાંધો નૈ બસ આ આત્મ સંતોષજ જીવનમાં પરમ ચરમ અખંડ અનંત આનંદ માટે કાફી છે..!
બોલો પુરૂષોતમ દાસ કી....
*બ્લાસ્ટ*
એક તો શબ્દો પારકા ઉછીના હોય યા ઉધારી હોય.
પાછી જીવનમાં તો એક ટકો પણ ના ઉતારી હોય.
તો પછી અમલમાં તો એ ક્યાંથી મુકાણી હોય..?
જો જીવનમાં ઉતારી ન શકું યા ઉતારૂ તો પછી અમલમાં મુકી ના શકુ તો એવી "અનંત" સલાહ શીખામણો કે ખીલોસોફીઓ હું ક્યારેય અંગતમાં યા જાહેરમાં ઝાળતો નથી.!
કારણ કે, હું "અજ્ઞાની" કાંયજ જાણતો નથી.!
"અજ્ઞાની"
વર્ષો પહેલાં મારા ભાઈબંધે કહ્યું હતું કે,
હું ક્યાં એમ કહું છું ભૈ કે જીવનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ.
બલ્કે હું તો એમ કહું છું "અજ્ઞાની" કે, સ્વાર્થમાં પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઈએ.
શરીર સંકોરી મહોલ્લાની બહાર નીકળી ઘરભેગો થઈ ગયો....
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" કોઈના તમારી સાથેના સારા કે ખરાબ વ્યવહાર નો હરખ કે શોક ક્યારેય ન કરવો. કારણ કે, તેઓ તમારી સાથે જે ખરાબ કે સારો વ્યવહાર કરતા હોય છે એ તમારા કર્મ ને આધીન કરતા હોય છે.
"અજ્ઞાની"
કર્મ કને કૃષ્ણ પણ આડો નૈ આવે કારણ કે,
કર્મ ને ટાળવા કૃષ્ણ પણ ગયો છે નિષ્ફળ.!
સારૂ કે ખરાબ
"અજ્ઞાની" કરેલુ કોઈ પણ કર્મ જતું નથી અફળ.!
જેનુ જેવું હશે કર્મ તેવુ જ તેને મળશે ફળ..!
"અજ્ઞાની"
https://youtu.be/IR9ShQEdcgg?si=LAllkL6WaQT9qAYd
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંતે અઢળક અનુભવના આધારે કહ્યું હતું કે,